બીજાનું ભલું કરવાની પ્રવુત્તિ તે ઉદારતા છે, ગરીબોના પોષણ માટે ધનનું દાન કરવું ઉદારતા છે, એ દયાનું કાર્ય છે, એ દાનશીલતા છે, ઉદારતામાં બધા ગુણો સમાયેલા છે.
સર્વમાં એક જ આત્માનો નિવાસ છે, સર્વ એક જ ઈશ્વરના રૂપો છે.
બીજાને નુકસાન પહોચાડીને તમે પોતાને જ નુકસાન કરો છો.
બીજાની સેવા કરવાથી તે પોતાની સેવા કર્યા જેવું થશે.
બધા પર પ્રેમ કરો. કોઈનો પણ તિરસ્કાર ન કરો,
કોઈનું પણ અપમાન ન કરો, મન વચન તથા કર્મથી કોઈને પણ હાનિ ન પહોંચાડો.